સ્ટેનમોર – લંડન ખાતે રહેતા અને સૌરાષ્ટ્રના નેસડીમાં જન્મેલા શ્રી જયંતીલાલ પોપટલાલ ઠાકરનું તા. 24 જૂન 2021ના ​​રોજ સવારે 94 વર્ષની વયે તેમના પરિવારના સભ્યોની વચ્ચે શાંતિપૂર્ણ નિધન થયું છે. તેઓ પત્ની નિર્મલાબેન અને વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

જયંતીલાલ લગ્ન કર્યા પછી યુગન્ડા ગયા હતા અને 1972માં ઇદી અમીને દેશનિકાલ કરતા તેઓ સપરિવાર યુકે આવ્યા હતા. તેમણે પેન્થર (યુકે) લિમિટેડની સ્થાપના કરી હતી જેમાં તેમના બાળકો પણ જોડાયા હતા. પેન્થર યુ.કે 159 દેશોમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસ કરતી હતી. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સંકુચિત થયા બાદ કંપનીનું 27 વર્ષ સુકાન સંભાળ્યા પછી તેમણે 2008માં વય નિવૃત્તિ લીધી હતી.

તેઓ દયાળુ, પ્રેમાળ અને દેખભાળ કરતા વ્યક્તિ હતા અને તેમણે ભારે આદર મેળવ્યો હતો. તેઓ કોવિડ રોગચાળા સહિતના ઘણી ઉથલપાથલમાંથી બચી ગયા હતા.

સદ્ગતના આત્માની શાંતિ અર્થે શનિવાર તા 3ના રોજ અને તા. 4 જુલાઈના રોજ ગુણાતીત જ્યોત દ્વારા ભજન કરાયું હતું. સંપર્ક: પંકજભાઇ ઠાકર 07831 112 233 – ઇમેઇલ : [email protected]