(Photo by Gareth Cattermole/Getty Images for DIFF)

2018માં બોક્સ ઓફિસ પર હિટ ગયેલી ‘સત્યમેવ જયતે’ની સીક્વલ બનાવવાની જાહેરાત થયા બાદ હવે આ ફિલ્મ સેટ પર પહોંચી છે. ફિલ્મના લીડ એક્ટર્સ જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમારે લખનૌમાં શૂટિંગ શરૂ કર્યું છે. બે મહિના સુધી આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થશે.

ભૂષણ કુમાર અને નિખિલ અડવાણી આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને મિલાપ ઝવેરી ડિરેક્ટર છે. શૂટિંગના પહેલા દિવસે માત્ર મુખ્ય કલાકારોનું શૂટિંગ થશે. હર્ષ છાયા, અનુપ સોની, ગૌતમી કપૂર, શાદ રંધાવા, સાહિલ વેદ જેવા અન્ય એક્ટર્સ બાદમાં જોડાશે. શૂટિંગ દરમિયાન લખનઉના લોકેશન્સને બિલકુલ સીલ કરી દેવામાં આવશે, જેથી ભીડ ન થાય. ઝવેરીએ જણાવ્યું હતું કે, એક્શન સીન્સ લખનઉની ગલીઓમાં શૂટ થશે. કોરોનાના સમયગાળામાં પણ શૂટિંગ માટે તૈયાર થવા બદલ ડિરેક્ટરે જ્હોનની પ્રશંસા કરી હતી.