ગુજરાતના કચ્છમાં બુધવારે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડામાં હોવાને કારણે તેની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી.

સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું હતું. મંગળવારે રાત્રે પણ ભચાઉમાં 2.19 વાગ્યે આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2ની તીવ્રતા નોંધાઇ હતી અને તેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.