Getty Images)

સુશાંતના અવસાન પછી અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓની પોલ છતી કરી હતી. કંગનાએ હવે ફરીવાર મોટા ખુલાસા કર્યા છે.કંગનાએ કહ્યું કે, મારો એક સમય એવો હતો જ્યારે આવા દબાણમાંથી પસાર થવું પડતું હતું.

એકવાર જાવેદ અખ્તરે મને તેના ઘરે બોલાવી અને કહ્યું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ખૂબ મોટા લોકો છે. જો તું તેમની પાસે માફી માંગીશ નહીં, તો પછી તારે ખુબ મોટો લોસ થશે. તેઓ તને જેલમાં ધકેલી દેશે અને આ બધા પછી તારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. મેં ઋત્વિકની માફી ન માંગી, તો હું આત્મહત્યા કરીશ. આ વાત શેર કરતાં જ સોશિયલ મીડિયામાં સનસની મચી ગઈ છે.

શું આ લોકો સુશાંતના મગજમાં આવી વસ્તુઓ ભરી રહ્યા હતા? મને ખબર નથી પણ હું પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ છું. જેથી હું તેને સમજી શકું. સુશાંતે ઘણી વાર પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, નેપોટિઝમ અને ટેલેન્ટ બંને ઈન્ડસ્ટ્રીમાં સાથે ન ચાલી શકે. હું જાણું છું કે સુશાંતના આદિત્ય ચોપડા સાથે પણ મતભેદો હતા. જ્યારે મેં સુલતાનને નકારી કાઢી હતી ત્યારે તેણે મને ધમકી પણ આપી હતી કે હવે તે ક્યારેય મારી સાથે કામ કરશે નહીં.