ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મહોમ્મદ અઝહરૂદ્દીન સામે ટ્રાવેલ એજન્ટ મહોમ્મદ શાદાબે 20 લાખ રુપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.ઓરંગાબાદમાં ટ્રાવેલ એજન્ટની ફરિયાદના આધારે પોલીસે અઝહર સામે ગુનો દાખલ કર્યો છે.ફરિયાદમાં ટ્રાવેલ એજન્ટ શાદાબે કહ્યુ હતુ કે, 9 થી 12 નવેમ્બર વચ્ચે અઝહરે પોતાના માટે અને સુધીશ અવિક્કલ માટે સંખ્યાબંધ વિદેશી શહેરોમાં પ્રવાસ માટે ટિકિટ બુક કરાવીને કેન્સલ કરાવી હતી. બંનેએ આ માટેની રકમ ચુકવવાનો વાયદો કર્યો હતો પણ હજી સુધી તેમણે આ પૈસા આપ્યા નથી.આ રકમ લગભગ 20 લાખ રુપિયા સુધીની થવા જાય છે.સુધીશ અવકિક્લ કેરાલાનો રહેવાસી છે.દરમિયાન પોલીસે કહ્યુ હતુ કે, ટ્રાવેલ એજન્ટની ફરિયાદ નોંધવામાં આવી છે પણ આ મામલામાં હજી તપાસ ચાલુ છે અને કોઈની ધરપકડ હજી સુધી થઈ નથી.