ટ્રમ્પ
(Photo by ANGELA WEISS/AFP via Getty Images)

ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મામદાનીએ ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરનારા અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યૂ યોર્ક ઇમિગ્રન્ટ્સ દ્વારા સંચાલિત થશે અને તેમની ઐતિહાસિક જીત પછી એક ઇમિગ્રન્ટ તેનું નેતૃત્વ કરશે.

ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પછી ટ્રમ્પને પડકાર ફેંકતા તેમણે જણાવ્યું હતું કે અમારામાંથી કોઈ સુધી પહોંચવા માટે, તમારે અમારા બધામાંથી પસાર થવું પડશે. હવે તેઓ નિયમો બનાવી શકશે નહીં. તેઓ આપણા બાકીના લોકો માટે છે તેવા જ નિયમોથી રમી શકે છે. સાથે મળીને આપણે પરિવર્તનની સફર શરૂ કરીશું અને જો આપણે આ બહાદુર નવા માર્ગને અપનાવીશું તો તેનાથી ભાગવાને બદલે આપણે સરમુખત્યારશાહીનો તે જ શક્તિથી જવાબ આપી શકીશું.
મામદાનીએ જણાવ્યું હતું કે અમે ખરાબ મકાનમાલિકોને જવાબદાર ઠેરવીશું, કારણ કે અમારા શહેરના ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભાડૂઆતોનો લાભ લેવામાં ખૂબ જ આરામદાયક બની ગયા છે. અમે ભ્રષ્ટાચારની સંસ્કૃતિનો અંત લાવીશું, જેને ટ્રમ્પ જેવા અબજોપતિઓને કરવેરામાંથી બચવા અને કર છૂટનો લાભ લેવાની મંજૂરી આપી છે.

ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓનો વિરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે “ન્યૂ યોર્ક ઇમિગ્રન્ટ્સનું શહેર રહેશે, ઇમિગ્રન્ટ્સ દ્વારા બનાવવામાં આવેલું, ઇમિગ્રન્ટ્સ દ્વારા સંચાલિત, અને આજ રાતથી એક ઇમિગ્રન્ટના સુકાન હેઠળનું શહેર. મને સાંભળો, પ્રેસિડન્ટ ટ્રમ્પ, આપણામાંથી કોઈપણ સુધી પહોંચવા માટે તમારે આપણા બધામાંથી પસાર થવું પડશે.”

જવાહરલાલ નહેરુને ટાંક્યા
વિજય સંબોધનમાં ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના ઐતિહાસિક ‘ટ્રિસ્ટ વિધ ડેસ્ટિની’ (Tryst with Destiny) ભાષણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ‘ઈતિહાસમાં કદાચ ક્યારેક એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને અભિવ્યક્તિ મળે છે.’

LEAVE A REPLY