(Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને કોરોના ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, રાહતની વાત છે કે પૂર્વ વડા પ્રધાન કોરોનાની રસી લઇ ચુક્યા છે અને તેથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કોરોનાને સરળતાથી હરાવી શકશે. 4 માર્ચે મનમોહન સિંઘ અને તેમની પત્ની ગુરશરણ કૌરે એઈમ્સની મુલાકાત લઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.