ફાઇલ ફોટો (Photo by Kevin Frayer/Getty Images)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગુરુવારે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો, એવી વડાપ્રધાન મોદીએ બપોરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે મને જણાવતા ખુશી થઈ રહી છે કે મારી માતાને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આજે અપાયો છે. હુ આપ તમામને અત્યારે અપીલ કરવા ઈચ્છું છું કે જે પણ વેક્સિન લગાવવાના દાયરામાં આવે છે તે તમામ વેક્સિન લગાવે અને બીજા લોકોને પણ પ્રેરિત કરે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અમદાવાદમાં રહે છે. હીરાબાની ઉંમર 100 વર્ષની નજીક છે. જોકે આ ઉંમરમાં પણ તેઓ એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. પીએમ મોદીને એક માર્ચે દિલ્હીના એઈમ્સમાં વેક્સિનનો ડોઝ અપાઈ ગયો હતો.