ઐતિહાસિક લાલ કિલ્લા પર રતના 75માં સ્વતંત્રતા દિનની ઉજવણી (PTI Photo/ Shahbaz Khan)

ભારતના 75માં સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત હિંમત અને દ્રઢતા સાથે ત્રાસવાદ અને વિસ્તારવાદનો સામનો કરી રહ્યું છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આકરા નિર્ણયો કરતાં ખચકાટ અનુભવશે નહીં અને આવું કરવાની રાજકીય ઇચ્છાશક્તિ છે.તેમણે જણાવ્યું હતું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક સને એર સ્ટ્રાઇક કરીને દુશ્મનોને કડક સંદેશ આપ્યો છે. આ દર્શાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે અને સૌથી મુશ્કેલ નિર્ણયો કરી શકે છે અને તેનો અમલ પણ કરી શકે છે. મોદીએ દેશની સુરક્ષા કરતાં લશ્કરી દળોને મજબૂત કરવા કોઇ કચાશ ન રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.