ભારતમાં માર્ચ મહિનાની 24 તારીખે 21 દિવસની મુદ્દતના લોકડાઉનનો અમલ શરુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દત 14 એપ્રિલે પુરી થતાં તેને ફરીવાર 3જી મે સુધી વધારવામાં આવ્યું હતું. પરંતું દેશમાં અનેક રેડ ઝોન વિસ્તારો છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેનાથી લોકોનાં મોત પણ વધી રહ્યાં છે ત્યારે કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે.