યુકેમાં સૌથી જૂના જૈન સંગઠનોમાંના એક શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ (SNJPM) દ્વારા તા. 14 અને 15 જૂન દરમિયાન સંસ્થાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીનું આયોજન એલમ હોલ અને મેનોર હાઉસ એલ્સ્ટ્રી, બરહમવુડ ખાતે કરવામાં આવ્યું હતું.
તા. 14 જુનના રોજ બપોરે પંચકલ્યાણક કાર્યક્રમ અને હાઇ ટીનું આયોજન કરાયું હતું. જ્યારે તા. 15ના રોજ સંસ્થાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અભિષેક, સ્વામી વાત્સલ્ય અને હાઇ ટીનું આયોજન કરાયું હતું.
૧૮ સંસ્થાના પ્રમુખ ગિરીશ જૈને કહ્યું હતું કે ‘’આજનો દિવસ લંડનમાં જૈનો માટે ઐતિહાસિક દિવસ હતો અને આ પ્રસંગ, તેના દરેક ભાગની ગુણવત્તા અને વિશિષ્ટતા આવનારી પેઢીઓને યાદ રહેશે! અમે 50 વર્ષની ઉજવણી સાથે સુસંગત, SNJPM 23મા જૈન તીર્થંકર, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્વાગત કરવા બદલ ધન્યતા અનુભવીએ છીએ. તીર્થંકરોમાં સૌથી આદરણીય, 108 નામો ધરાવતી, આ મૂર્તિ 13 ઇંચ ઊંચી છે અને ચાંદીની બનેલી છે.’’
