વિદેશવાસી 4355 ભારતીયોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા છે. સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે જુદા જુદા 88 દેશોમાં 4355 ભારતીયોના મોત થયા છે. સૌથી વધુ, 1237 ભારતીયો સાઉદી અરેબિયામાં મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાતનો નંબર આવે છે.
વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ-19ને કારણે યુએઇમાં 894, કુવૈતમાં 668, ઓમાનમાં 555, બહેરીનમાં 203, અમેરિકામાં પાંચ અને રશિયામાં 15 ભારતીયોના મોત થયા છે.
પ્રધાને કહ્યું કે આ મહામારીને કારણે કતારમાં 113 અને મલેશિયામાં 186 પ્રવાસી ભારતીયોના મોત થયા છે. મુરલીધરને કહ્યું, ‘વિવિધ ભારતીય મિશન પોસ્ટ્સ પર ઉપલબ્ધ વિગતો મુજબ, કોવિડ-19ને કારણે 4,355 NRIના મૃત્યુ થયા છે. અંતિમ સંસ્કાર માટે 127 મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા.