ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવારે 172.29 કરોડ (1,72,29,47,688)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી શનિવાર સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,14,68,120 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,36,962 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.37% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 50,407 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 6,10,443. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.43% છે, સમગ્ર દેશમાં દૈનિક ધોરણે ટેસ્ટની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,50,532 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં શનિવાર સુધીમાં કુલ મળીને 74.93 કરોડથી વધારે (74,93,20,579) ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 5.07% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.48% નોંધાયો છે.