ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધીને 200 થયા છે ત્યારે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિયેશનના વડા ડો. એન્ગેલિક કોત્ઝીએ મંગળવારે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મોટાભાગના દર્દીઓ સરળ અને સાદી સારવારથી રિકવર થઇ જાય છે. ઓમિક્રોન વેરિયન્ટની સૌ પ્રથમ ઓળખ કરનારા આ સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે ઓમિક્રોન દર્દીઓની સારવાર ખૂબ જ સરળ છે. અમે સૌથી પ્રથમ સ્નાયુઓ અને માથાના દુઃખાવાની સારવાર માટે કોર્ટિસોન ઇન્જેક્શનના લો ડોઝ અને અને આઇબુપ્રોફેનથી સારવાર ચાલુ કરીએ છીએ. બસ આટલી જ દવા, બીજુ કંઇ નહીં. ઓક્સિનજન કે એન્ટિબાયોટિક્સની પણ જરૂર પડતી નથી. ઓમિક્રોના લક્ષણો અંગે તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના કેસો શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, થકાવટ જોવા મળે છે. કફ હોય અને ન પણ હોય. મોટાભાગે સુકી ઉઘરસ હોય છે.