Rahul Gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફાઇલ ફોટો (Photo by Atul Loke/Getty Images)

ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા નજીક આવેલા લડાખમાં પેંગોંગ સરોવર પર ચીન એક બ્રિજ બાંધી રહ્યું હોવાના અહેવાલના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકીદી સામે સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે ટ્વીટર પર જણાવ્યું હતું કે પીએમની ચુપકીદી કાન બહેરા કરી નાંખે તેવી છે. આપણી જમીન, આપણા લોકો અને આપણી સરહદો વધુ સારી સ્થિતિની લાયકાત ધરાવે છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ ચીન અંગેની નીતિ અંગે વારંવાર મોદી સરકાર પર પ્રહાર છે.