હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

પાટીદાર અનામત આંદોલન વખતના 10 કેસો પાછા ખેંચી લેવાના સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયને હું આવકારું છું, પરંતુ સરકારે તમામ કેસો પાછા ખેંચી લેવા જોઇએ.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા તેમાથી 246 કેસનું લિસ્ટ અમે સરકારને સોંપ્યું હતું. જેમાથી રાજ્ય સરકારે 9 કેસ પરત ખેંચવા માટે વકીલ વતી કોર્ટમાં અરજી કરી છે અને મારી સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15 એપ્રિલના રોજ હુકમ થશે.