વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 એપ્રિલ)એ સુરત ખાતે ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ (GPBS),2022નું ઉદ્ધઘાટન કર્યું હતું.. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (29 એપ્રિલ)એ સુરત ખાતે ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ (GPBS),2022નું ઉદ્ધઘાટન કર્યું હતું. વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી આ સમીટ યોજાઈ રહી છે. આ સમીટનો હેતુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા અને મૂલ્ય સર્જન માટે પ્રોત્સાહન આપવાનો છે. મિશન 2026 હેઠળ સરદારધામ દ્વારા પાટીદાર સમાજના સામાજિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ સમીટનો આયોજન કરાયું છે. આવી સમીટ દર બે વર્ષે યોજાય છે. પ્રથમ બે સમીટ 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. GPBSની મુખ્ય થીમ આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર કમ્યુનિટી છે.

મોદીએ સમિટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ થાય છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ મોદીએ અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે. મોદીએ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર પણ ભાર મૂક્યો હતો.

મોદીએ સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહેલું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ કરીને તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. સરદાર સાહેબની વાતને ન ભૂલવી જોઈએ. વડાપ્રધાન મોદીએ સમીટમાં આવેલા ઉદ્યોગકારોને કહ્યું હતું કે, દેશમાં અલગ અલગ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ સમીટ થકી વૈશ્વિક કક્ષાએ નવા વિષયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે પણ વિચાર થવો જોઈએ.

મોદીએ જણાવ્યું હતું કે ખેતી ક્ષેત્રમાં વિકાસની ખૂબ મોટી તકો રહેલી છે. તેથી ખેતીને પણ અત્યાધુનિક બનાવવી જોઈએ. તેમાં રોકાણ વધારીને વૈશ્વિક કક્ષાએ નામ કેવી રીતે આગળ આપણું આવે તે બાબતે પણ આગળ આવવું જોઈએ. આપણે વિદેશથી 80 હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે. જેથી આત્મનિર્ભર તેમાં પણ બનવાની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ફાર્મિંગમાં વ્યાપારિક તકો ખૂબ છે. માટે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા જોઈએ. તથા ક્વોલિટી પેદાશ પર ધ્યાન આપવાની જરૂર છે.

સામાજિક સમરસતાના ધોરણે આ આ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં અંદર 13થી 15 અલગ-અલગ ચેપ્ટર ભાગ લીધો. જેમ કે, ડેરી ઉદ્યોગ એગ્રીકલ્ચર આઇટી અને ફાર્મા. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે.