પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં કોરોના 40 કેસ નોંધાયા સમગ્ર સોસાયટીને બુધવારે ક્વોરેન્ટિન કરવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે જનતાએ સાવચેતી રાખીને શક્ય હોય તો ઘરમાં રહેવા જનતાને અપીલ કરાઈ છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો કેસોમાં જંગી વધારો થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં તાજેતરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.