બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, તેના અમેરિકન સિંગર પતિ નિક જોનાસ અને તેમની પુત્રી માલતી મેરી જોનાસે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન કર્યાં હતા. (ANI Photo)
પ્રિયંકા ચોપરા તાજેતરમાં પુત્રી માલતી મેરી સાથે ભારતની મુલાકાતે ગઇ હતી. પછી પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત જઇને પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો છે. મુંબઈ ખાતે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપ્યા પઠી આ પરિવાર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા પહોંચ્યો હતો.
આ પવિત્ર સ્થળે પ્રિયંકા-નિકના પ્રવાસની ઝલક આપતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અયોધ્યા ખાતે પવિત્ર શ્રી રામ મંદિરમાં દર્શન સમયે પ્રિયંકાએ પીળા રંગની સાડી પહેરી હતી. નિક જોનાસે ઝભ્ભા પર ખેસ પહેર્યો હતો. પ્રિયંકાએ દીકરી માલતી સાથે સમગ્ર મંદિર પરિસરના દર્શન કર્યાં હતા. પ્રિયંકાના માતા મધુ ચોપરા પણ લાલ સાડી પહેરીને ધાર્મિક યાત્રામાં સહભાગી બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાયેલી આ વિધિમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. અક્ષય કુમાર, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા સેલિબ્રિટીઝ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ફરી શ્રી રામ મંદિરમાં દર્શને ગયા હતા. તે પ્રિયંકા ચોપરા અમેરિકામાં હોવાથી આ પ્રસંગે હાજર રહી શકી ન હતી. તેથી ભારતની આ વખતની મુલાકાતમાં પ્રિયંકાએ ઐતિહાસિક મંદિરમાં દર્શન કરવાની તક ઝડપી લીધી હતી.

LEAVE A REPLY

five × 1 =