(Photo by NOAH SEELAM/AFP via Getty Images)
આર. માધવન બોલીવૂડમાં પ્રતિભાશાળી અભિનેતા તરીકે જાણીતો છે. આર માધવન અને જુહી ચાવલાએ તાજેતરમાં ઓટીટી સિરીઝ ધ રેલવેમેનમાં સાથે કામ કર્યું છે. ભોપાલ ગેસ હોનારત આધારિત આ સિરીઝના પ્રમોશન દરમિયાન માધવને જુહી ચાવલા પ્રત્યેની કૂણી લાગણીનો જાહેરમાં ખુલાસો કર્યો હતો. માધવને જણાવ્યું હતું કે, કયામત સે કયામત તક ફિલ્મ જોયા પછી તેઓ જુહી ચાવલા સાથે લગ્ન કરવાનું સપનું જોતા હતા.
ધ રેલવેમેનમાં રોલ કરવાની ઓફર સ્વીકારવા અંગે માધવને  જણાવ્યું હતું કે, દરેકની હાજરીમાં એક કબૂલાત કરવી છે. કયામત સે કયામત તક જોયા પછી મેં મારી માતાને કહ્યું હતું કે, મારે જુહી સાથે લગ્ન કરવા છે. મારા જીવનનું એક માત્ર લક્ષ્ય જુહી સાથે લગ્ન કરવાનુ હતું. જોકે, આ સિરીઝમાં માધવન અને જુહી સ્ક્રિન શેર કરી શક્યા નથી. કારણ કે, માધવનનું શૂટિંગ પૂરું થયા પછી જુહી સેટ પર આવતી હતી.
ઉલ્લેખનીય છે કે, 1998ના વર્ષમાં રોમેન્ટિક ફિલ્મ કયામત સે કયામત તક રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદ આમિર ખાન અને જુહી ચાવલા સ્ટાર બની ગયા હતા. જુહી ચાવલાએ લગ્ન પછી ફિલ્મોમાં બ્રેક લીધો હતો અને હવે તેઓ કમબેક કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેમણે ધ રેલવેમેનમાં રોલ કર્યો છે. આ સિરીઝમાં માધવન અને જુહી ઉપરાંત કે કે મેનન, દિવ્યેન્દુ અને બાબિલ ખાન પણ મહત્ત્વના રોલમાં છે.

LEAVE A REPLY

18 − seventeen =