માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે ઉદ્યોગપતિ રાહુલ બજાજની ફાઇલ ઇમેજ (પીટીઆઇ ફોટો)

રાહુલ બજાજને નિધન અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે રાહુલ બજાજને યુવાના ઉદ્યોગસાહસિકો માટે તેમને દીવાદાંડી સમાન ગણાવ્યા હતા. પવાર જણાવ્યું હતું કે ગાઢ મિત્રના નિધનથી તેમને ઘણું દુઃખ થયું છે. ભારતે એક ઉદ્યોગપતિ, એક પરોપકારી વ્યક્તિ અને યુવાન ઉદ્યોગ સાહસિકો માટેની દીવાદાંડી ગુમાવી છે. સ્વાતંત્ર્ય સૈનાની આ પૌત્રે તેમની ટુ વ્હિલર ટેકનોલોજી બજાજ બાઇક મારફત સમાજ અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગમાં પરિવર્તન લાવ્યા હતા.