દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે 31 ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ તાજેતરમાં કહ્યું હતું. જોકે હવે તેણે એવો નિર્ણય કર્યો છે કે તે રાજકારણમાં કારકિર્દી નહીં બનાવશે નહીં. તેમણે રાજકારણમાં નહીં આવવા માટે પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી અને તેથી જ તેઓ હવે કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તાજેતરમાં જ રજનીકાંતના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રજનીકાંતે 29 ડિસેમ્બરે અચાનક જ ટ્વીટર પર જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી. રજનીકાંતે કહ્યું હતું કે હમણાં તેમની તબિયત ખરાબ થઈ એ ભગવાને ચેતવણી આપી હતી અને આથી જ તેઓ હવે કોઈ રાજકારણમાં આવશે નહીં અને તામિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં.
રજનીકાંતે જણાવ્યું હતું કે, ‘રાજકારણમાં આવ્યા વગર હું લોકોની સેવા કરીશ. મારા નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો. હું એવું નથી ઈચ્છતો કે લોકો એમ સમજ કે મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.