(Photo by MIGUEL MEDINA/AFP via Getty Images)

કોરોના મહામારીનો બીજો તબક્કો ભારત માટે ઘાતક છે. તેનાથી અસર પામેલા લોકોને મદદ માટે સરકારની સાથેસાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પોતાની રીતે શક્ય તેટલી સહાય કરી રહ્યા છે. હવે આ યાદીમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ જોડાયું છે.

રજનીકાંતના પ્રવકતાએ સત્તાવાર ટ્વિટર પરથી માહિતી આપી છે કે, કોરોના વાઇરસ સામે જંગ લડલા માટે અભિનેતાએ રૂ. ૫૦ લાખ તમિલનાડુના ચીફ મિનિસ્ટર રીલીફ ફંડમાં જમા કરાવ્યા છે. ટ્વિટરમાં તેમના પ્રવકતાએ વધુમાં એમ પણ લખ્યું છે કે, તમિલનાડુના લોકો સરકાર દ્વારા બહાર પાડેલા નિયમોને અનુસરે તો સરકારનું કામ ઘણું સરળ થઇ જાય. રજનીકાંતના આ દાનનો ઉપયોગ કોરોનાના દરદીઓની સારવાર માટે કરવામાં આવશે.