રણબીર કપૂરની છેલ્લે સંજુ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેની સફળતાથી તેણે સ્ટારડમ મેળવ્યું હતું. પરંતુ આ બાદ તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. તેણે ધર્મા પ્રોડકશનની બ્રહ્માશ્ત્રનું શૂટિંગ પુરુ કર્યું છે. પરંતુ તેની ફિલ્મ રિલીઝ લંબાઇ રહી છે. પરિણામે તેની કારકિર્દી જોખમાય તેવી શક્યતા ઊદભવી છે. ફિલ્મ બ્રહ્માશ્ત્ર સુપરહીરો યૂનિવર્સની વાર્તા પર આધારિત છે. ફિલ્મ રિલીઝની તારીખમાં શરૂઆતથી જ અડચણો આવે છે. હવે કરોના વાયરસને કારણે કામ થંભી જતા ફરી બ્રહ્મશાસ્ત્રની રિલીઝ ડેટમાં ફેરફારકરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હજી પણ આ ફિલ્મનું ફાઇનલ શેડયુલ પેન્ડિંગ છે. જેમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુને શૂટિંગ કરવાનું છે. ફિલ્મની તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૦ની નક્કી કરવામાં આવી છે, પરંતુ ડેડલાઇન સુધી આ ફિલ્મ પૂરી થાય તેવી કોઇ શક્યતા નથી. આ ફિલ્મને પહેલા ૨૦૧૯માં રિલીઝ કરવાની યોજના હતી.

પરંતુ શૂટિંગમાં સતત મોડું થવાથી તેમજ ગ્રાફિક વર્કસમાં લાગતા સમયને કારણે આ ફિલ્મને પૂરી કરવામાં સમય લાગી રહ્યો છે અને વારંવાર ફિલ્મની રિલીઝ તારીખમાં બદલાવ આવી રહ્યો છે. છેલ્લે ફિલ્મસર્જકે આ ફિલ્મની સાલ ૨૦૨૦ના રિલીઝ કરવાનું એલાન કર્યું હતું. પરંતુ હવે લાગે છે કે, આ ફિલ્મ ૨૦૨૧ સુધી પોસ્ટપોન્ડ થાય તેવી શક્યતા છે. જો આમ થશે તો રમબીરની કારકિર્દી જોખમાય તેવી શક્યતા છે. ૨૦૧૮ પછી તે રૂપેરી પડદે જોવા મળ્યો જ નથી.