(ANI Photo)

હાલમાં રણદીપ હુડ્ડા અને મોડલ-એક્ટર લિન લૈશરામ તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. હવે રણદીપ અને લિને પોતે એક નિવેદન બહાર પાડીને તેમના લગ્નની તારીખની જાહેરાત કરી છે. તેઓએ જાહેર કર્યું કે તેઓ મણિપુરના ઇમ્ફાલમાં લગ્ન કરશે, આ પછી બાદ મુંબઈમાં રિસેપ્શન યોજાશે.

રણદીપે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અને લિન લૈશરામની એક નોંધ શેર કરી હતી. તેના કેપ્શનમાં તેને રિંગ ઇમોજી સાથે લખ્યું હતું કે “અમે રોમાંચક સમાચાર આપી રહ્યાં છીએ.” નોટમાં લખવામાં આવ્યું હતું કે “લગ્નની સાથેની તારીખ 29.11.2023. રણદીપે મહાભારતમાં અર્જુને મણિપુરી યોદ્ધા રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે અમે અમારા પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે લગ્ન કરી રહ્યા છીએ.

તેમના લગ્ન સમારોહ વિશે વધુ વિગતો આપતાં નોંધમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા લગ્ન 29મી નવેમ્બર 2023, ઈમ્ફાલ, મણિપુરમાં થશે અને ત્યારબાદ મુંબઈમાં રિસેપ્શન યોજાશે. અમે આ સફર શરૂ કરવા માટે તૈયાર છીએ. અમે સંસ્કૃતિના આ મિલન માટે તમારા આશીર્વાદ અને પ્રેમ માંગીએ છીએ.

LEAVE A REPLY

1 × one =