Sanjay Dutt's entry in Hera Pheri 3
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ફિલ્મ અભિનેતા સંજય દત્તે પોતાની બીમારી અંગે પહેલી વાર વાત કરતાં જણાવ્યું હતું કે તેને આશા છે કે તે આ બિમારીને ટૂંકસમમાં હરાવી દેશે. ઓગસ્ટમાં 61 વર્ષીય અભિનેતાએ જાહેરાત કરી હતી કે મેડિકલ ટ્રીટમેન્ટ પર ફોકસ કરવા તે પ્રોફેશનલ જીવનમાંથી આરામ લેશે.

બુધવારની સાંજે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં સંજયદત્તા સિલિબ્રિટીી હેરસ્ટાઇલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં વાળ કાપી રહ્યો છે. આ વીડિયોમાં સંજય દત્તે કહ્યું હતું કે હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે.