(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

નાગિનનો રોલ કરનારી બોલીવૂડની અભિનેત્રીઓ રીના રોય, શ્રીદેવી અને મનીષા કોઇરાલા સાથે હવે શ્રદ્ધા કપૂરનું નામ પણ જોડાવાનું છે. સિલ્વસ્ક્રીન પર આ ત્રણેય અભિનેત્રીઓએ ઇચ્છાધારી નાગણનું પાત્ર ભજવ્યું છે. હવે શ્રદ્ધા કપૂર પણ રૂપેરી પડદે નાગિનનો રોલ ભજવવાની છે.

આ ફિલ્મનું ટાઇટલ નાગિન હશે અને તેને ત્રણ ફિલ્મોની સીરીઝમાં બનાવામાં આવશે. આ સીરીઝને વિશાલ ફુરિયા ડાયરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડયુસ કરશે. લાંબા સમય પછી રૂપેરી પડદે ઇચ્છાધારી નાગિન દર્શકોને જોવા મળશે. શ્રદ્ધા કપૂરે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, સ્ક્રીન પર નાગિનનું પાત્ર ભજવવું એ મારા માટે ખુશીની વાત છે. હું શ્રીદેવી મેમની નાગિન અને નિગાહેની ખૂબ ફેન રહી છું અને આ જોઇને મોટી થઇ છું. મને લાંબા સમયથી આવો રોલ કરવાની ઇચ્છા હતી. હવે ફરીથી મોટા પડદે ઇચ્છાધારી નાહિનનો જાદુ જોવા મળશે. ઇચ્છાધારી નાગણનો કોન્સેપ્ટ હંમેશા બોલીવૂડ અને ટેલીવિઝન પર સુપરહિટ રહ્યો છે. આ વિષય પર બનેલી ફિલ્મ અને સિરીયલે દર્શકોના દિલ જીતી લીધા છે.