(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ગયા વર્ષે કરેલી આત્મહત્યા અને ત્યારબાદ તેના વિશે સર્જાયેલા વિવાદ વિશે આપણે જાણીએ છીએ. હવે સુશાંતના મૃત્યું અંગેના વિવાદ પર પર આધારિત એક ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’ ટુંક સમયમાં આવી રહી છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં જુબેર સુશાંત સિંહ રાજપૂતની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે શ્રેયા સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીનો રોલ ભજવશે. આ ફિલ્મમાં પીઢ કોમેડિયન અસરાની સુશાંતના પિતાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુની પહેલી વરસીએ 11 જૂને આ ફિલ્મ રિલીઝ થશે.

વિકાસ પ્રોડક્શનની ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’નું પોસ્ટર અને ટીઝર બંને દર્શકોની સામે આવી ગયા છે. આ ફિલ્મ સુશાંતના મૃત્યુંના વણઉકેલાયેલા કોયડાને સામે લાવશે. સુશાંત સિંહ રાજપૂતના તમામ ચાહકો આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

આ ફિલ્મનું ટીઝર આવ્યું છે તે 58 સેકંડનું છે, જેમાં એક મોટો ધમાકો છે. તેની શરૂઆત જ જોરદાર છે.
ટીઝરની શરૂઆતમાં પોતાના ઘરે આત્મહત્યા કરનાર પ્રખ્યાત અભિનેતા મહિન્દર સિંહના મોત અંગે બ્રેકિંગ ન્યૂઝ બતાવવામાં આવ્યા છે.

જેમ જેમ ટીઝર આગળ વધે છે તેમ તેમ સુશાંત સિંહ રાજપૂતનો કેસ તમારી સમક્ષ આવે છે. અનેક તપાસ એજન્સીઓ આ કેસની તપાસ કરતી જોવા મળે છે. મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતાના પિતા પણ જોવા મળશે અને સુશાંત કેસની જેમ આ ટીઝરમાં પણ અભિનેતાની એક ગર્લફ્રેન્ડ હશે.