રવિવાર  ૭ નવેમ્બરના રોજ યુકે સ્થિત ભારતના હાઇ કમિશ્નર શ્રીમતી  ગાયત્રી ઇસ્સાર કુમારે નોર્થ વેસ્ટ લંડન સ્થિત ઇન્ટનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે સિદ્ધાશ્રમમાં સ્થાપિત  પારદેશ્વર  મહાદેવનો અભિષેક કરી માં દુર્ગાની પૂજા કરી  આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સિધ્ધાશ્રમના સંસ્થાપક સનાતન ધર્મ ભૂષણ શ્રી રાજરાજેશ્વર ગુરૂજી સાથે તેમણે મુલાકાત કરી હતી. ગુરૂજીએ તેમને ભેટ તરીકે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને શ્રીમદ ભાગવત ગીતાના ગ્રંથો ભેટ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આચાર્ય ભાવેશ પંડ્યાજીએ પૂજા કરાવી હતી તેમજ જેશામ કોન્ટ્રાક્ટરના મલિક શ્રી શામજીભાઈ ઉપસ્થતિ રહ્યા હતા.