Getty Images)

સુશાંતના મોત બાદ નેપોટિઝમના મુદ્દે બોલિવૂડમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સુશાંતના ફેન્સ કહી રહ્યા છે કે, સગાવાદને કારણે બોલિૂડમાં સુશાંત સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને તેના મૃત્યુનું કારણ પણ નેપોટિઝમ સાથે સંબંધ ધરાવે છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણા સ્ટાર્સને લોકોએ ટ્રોલ કર્યા છે. કરિના કપૂરે હવે આ જ મુદ્દે એક ઇન્ટરવ્યૂમાં કેટલીક વાતો કહી છે. કરીના લગભગ 21 વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અને બોલિવૂડમાં તેણે અનેક હિટ ફિલ્મો આપી છે.

બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યુમાં કરિના કપૂરે સગાવાદની ચર્ચાઓ અને ઈનસાઈડરની વાત કરી હતી. તેમણે કહ્યું- 21 વર્ષનું કામ માત્ર નેપોટિઝમના બળ પર જ નથી મળ્યું. તેમણે કહ્યું કે નેપોટિઝમના બળ પર કામ શક્ય જ નથી. કરિનાએ એમ પણ કહ્યું કે મારી પાસે એવા સ્ટાર કિડ્સની લાંબી યાદી છે, જેમના માટે આ શક્ય ન થઈ શક્યું.
કરિનાએ કહ્યું કે, બની શકે કે તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે. પરંતુ એની પાછળ મારું સ્ટ્રગલ છે. મારો સંઘર્ષ હતો, હા એટલો પણ નહોતો કે કોઈ 10 રૂપિયા લઈને ટ્રેનમાં આવતો હોય. આ એ પ્રકારનો સંઘર્ષ નહોતો અને તેના માટે મને શરમ નથી આવી રહી.

પ્રેક્ષકોએ જ અમને બનાવ્યા છે અને બીજા કોઈએ અમને નથી બનાવ્યા. તે જ લોકો આંગળી ઉઠાવી રહ્યા છે જેમણે એને સ્ટાર બનાવ્યાં. તમે ફિલ્મ જોવા જઇ રહ્યા છો ને? ન જાઓ. કોઈ તમને દબાણ નહીં કરે. તેથી મને આ સમજમાં નથી આવતું. મને આવી બધી ચર્ચાઓ વિચિત્ર લાગે છે. કરિનાએ વાત કરી કે- અક્ષય કુમાર, શાહરૂખ ખાન, આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ જેવા ઘણા મોટા સ્ટાર્સ બહારના લોકો છે, પરંતુ તેઓ સફળ છે કારણ કે તેઓએ ખૂબ મહેનત કરી છે.