પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે HH શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનને મંદિરનું 3D પ્રિન્ટેડ મોડેલ ભેટમાં આપ્યું હતું.

સંયુક્ત આરબ અમીરાતના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં તેમના ખાનગી મહેલમાં પરમ પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ, BAPS સંતો અને સ્વયંસેવકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

તેમની એક કલાક લાંબી મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને વર્તમાન બાબતો ચર્ચાવિચારણા થઈ હતી તથા સહિયારા મૂલ્યો, સંવાદિતતા, સહિષ્ણુતા અને વૈશ્વિક શાંતિને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણને અંગત રીતે પ્રોત્સાહિત કરવા અને દેખરેખ રાખવા બદલ પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ અને વિશ્વભરના BAPS વતી બિન ઝાયેદ અલ નાહ્યાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અન્ય વિષયો પૈકી, મહામહિને ખાસ કરીને સાત સ્પાયર્સ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની કોતરણી અને મંદિરના વ્યાપ અંગે ખાસ પૂછપરછ કરી હતી.

BAPS હિન્દુ મંદિરના નિર્માણની નોંધપાત્ર પ્રગતિથી પ્રભાવિત થઈને નાહ્યાને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તેના દ્રષ્ટા કૃપા અને સ્વયંસેવકોના જુસ્સાથી આગળ વધી રહ્યો છે. તેમણે મંદિરની પ્રગતિ વિશે અપડેટ રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રોજેક્ટ ખૂબ જ વિશિષ્ટ છે અને તેનો વૈશ્વિક સંવાદિતાનો સંદેશ અહીં અને હવે સમાપ્ત થવો જોઈએ નહીં, તે સંસ્કૃતિના કોતરણી પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાવો જોઇએ.

LEAVE A REPLY

4 + 13 =