અભિનેત્રી ઉર્વશી રૌતેલા ‘વર્જિન ભાનુપ્રિયા’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે, જેનું દિગ્દર્શન અજય લોહણ કરી રહ્યા છે. રૌતેલા તેમાં લીડ કેરેક્ટર ભજવી રહી છે. શ્રેયાંશ મહેન્દ્ર ધારીવાલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રૌતેલા ભાનુપ્રિયાનો રોલ કરી રહી છે. ભાનુપ્રિયા ભારતીય કંઝર્વેટિવ યુવતી છે, જે કોલેજમાં ભણતી હોય છે અને પોતાનું કૌમાર્ય ગુમાવી દેવા માગે છે. તે વિચારે છે, આજના વિશ્ર્વમાં આ બાબત કરવી સૌથી સરળ વસ્તુ છે. જોકે તેનો પ્રયાસ કરવા જતા તેને નિષ્ફળતા મળે છે અને એક સંત તેનું ભવિષ્ય ભાખે છે કે આ તેના માટે બહુ અશક્ય કામ છે અને તેના જીવનમાં તે ક્યારેય બનશે નહીં. તે પછી શું થાય છે? તે તેના મિશનમાં સફળ થાય છે? તે બધું ફિલ્મ જોઈને ખબર પડશે. ફિલ્મ આ વર્ષે ૧૨મી જૂને રિલીઝ થશે. અત્યારે બોલીવૂડમાં નવા નવા વિષયો પર ફિલ્મો બનાવવાના બહુ પ્રયોગ થાય છે, તેમાં આ ફિલ્મનો વધારો થયો છે.