બેલ્જિયમમાં રસી લીધા પછી એક મહિલાના મૃત્યુ થતાં સત્તાવાળાઓએ બુધવારે જણાવ્યું હતું કે, 41 અને તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને કોવિડ-19 સામેની જોન્સન એન્ડ જોન્સનની એક રસી આપવાનું મર્યાદિત કરવામાં આવશે. મહામારી પર કેન્દ્રિત દેશના આંતરિક મંત્રાલય આરોગ્ય તંત્રે જણાવ્યું હતું કે, જોન્સન એન્ડ જોન્સનની જેનસ્સેન રસી અંગે યુરોપીયન મેડિસિન એજન્સીના વધુ માર્ગદર્શન માટે બાકી પ્રતિબંધ હંગામી રીતે લાગુ કરવામાં આવશે.યુરોપિયન યુનિયનના દેશોના ચેતવણીના સ્તરને ધ્યાનમાં રાખીને લીધેલું આ પગલું કોવિડ રસીઓને દર્શાવી રહ્યું છે, ખાસ કરીને બે એડેનોવાઇરસ, જેમાંથી એક જોન્સન એન્ડ જોન્સન અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલ છે. તે બંનેમાં લોહી જામી જવાના ખૂબ જ દુર્લભ પણ ખૂબ ગંભીર મુદ્દાની સાથે ઓછા પ્લેટલેટ સ્તરની સાથે શંકાસ્પદ સંબંધ છે, જે અનેક મૃત્યુના કેસમાં જોવા મળ્યું છે.

એજન્સીએ યુરોપિયન યુનિયનમાં ઉપયોગ માટે મંજૂરી આપી તે તમામ રસીઓની સલામતીનું મૂલ્યાંકન કરવાનું યથાવત રાખ્યું છે, જેમાં બાયોએનટેક-ફાઇઝર અને મોડર્નાની એક રસી સામેલ છે. ગત મહિને દુર્લભ લોહીના દુર્લભ ગઠ્ઠા અને એસ્ટ્રાઝેનેકા તથા જોન્સન એન્ડ જોન્સનની રસીઓ વચ્ચેના સંબંધોએ ધ્યાન ખેંચ્યુ હતું પરંતુ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, રસીના ફાયદાથી તેનું જોખમ ઘટાડી દીધું હતું. તમામ પુખ્ત ઉંમરના લોકો માટે તેની ભલામણ યથાવત રાખવામાં આવી છે. કેટલાક યુરોપિયન યુનિયનના દેશોએ એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ વૃદ્ધ લોકો પર પ્રતિબંધિત કર્યો છે. વિશેષમાં તો 55થી અથવા 60થી વધુ ઉંમર ધરવતા લોકો માટે. ઓસ્ટ્રિયા તેને તબક્કાવાર કાઢી રહ્યું છે, અને જુનમાં તેનો ઉપયોગ બંધ કરવાનું આયોજન કરી રહ્યું છે.

ડેનમાર્કે તેના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાંથી જોન્સન એન્ડ જોન્સનની રસીને પડતી મુકી છે. બિન યુરોપિયન યુનિયન સભ્ય-નોર્વેએ એસ્ટ્રાઝેનેકાને પડતી મુકી છે અને ફક્ત સ્વયંસેવકોને જોન્સન એન્ડ જોન્સનની ભલામણ કરે છે. બેલ્જિયમમાં મહિલાના મૃત્યુના કેસમાં આંતરિક મંત્રાલય સમિતીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે મહિલાની ઉંમર 40 વર્ષની અંદર હતી અને તેણે દેશની બહાર તેના એમ્પ્લોયર દ્વારા રસી લીધી હતી. મૃત્યુનો ફક્ત આ એક જ કેસ જાણવા મળ્યો છે. આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેનું શુક્રવારે મૃત્યુ થયું હતું અને તેને ગંભીર થ્રોમ્બોસિસ અને લોહીમાં પ્લેટલેટ્સ ઓછા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં રહેતા વૃદ્ધ લોકોને અને ઘરવિહોણા જેવા નબળા લોકોના જૂથોમાં જોન્સન એન્ડ જોન્સનની રસી આપવાનું જાળવી રાખવામાં આવશે.