ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી . (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતા (UCC)ની તરફેણ કર્યાના થોડા કલાકોમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ ઇમર્જન્સી બેઠક યોજી હતી અને તેનો વિરોધ કરવા અંગેની ચર્ચાવિચારણા કરી હતી. AIMPLBના સભ્ય ખાલિદ રશીદ ફિરંગી મહલીના જણાવ્યા અનુસાર બોર્ડે મંગળવારે રાત્રે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલાવાયેલી બેઠકમાં કાયદા પંચને સબમિટ કરવાના ડ્રાફ્ટ દસ્તાવેજની ચર્ચાવિચારણા કરાઈ હતી. વાંધા રજૂ કરવાનો છેલ્લો દિવસ 14 જુલાઈ છે. અમારું વલણ એ છે કે UCC બંધારણની ભાવના વિરુદ્ધ છે અને અમે તેનો સખત વિરોધ કરીશું.

LEAVE A REPLY

eighteen − 17 =