(ANI/Reuters Photo)

પ્રિયંકા ચોપરા તેનાં જીવનમાં એક મહત્ત્વનો નિર્ણય લે તેવી સંભાવના છે. પ્રિયંકાના જીવનમાં એક વ્યક્તિનું ખાસ મહત્વ છે જેનાં માટે તે ફિલ્મી કારકિર્દી પણ છોડી શકે છે. તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વિશેષ વ્યક્તિનું નામ છે માલતી. 40 વર્ષની વયે સરોગસીથી માતા બનનાર પ્રિયંકાએ પોતાનાં જીવનમાં બાળકનાં મહત્વ અંગે અને શા માટે તેને મુસાફરીમાં સાથે લઈ જવી જોઇએ તેની વાત કરી હતી. પ્રિયંકાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તે એક્ટિંગ છોડીને પોતાની પુત્રી સાથે વિવિધ દેશોમાં ફરવા જશે કે કેમ? તેણે જવાબ આપ્યો કે તે એવું કરી શકે છે.

પોતે નાની હતી ત્યારે માતા-પિતા કઈ રીતે તેને સાથે લઇને ફરતા હતા તે યાદ કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, “એ સમયે હું આ વાતને અત્યંતથી હળવાશથી લેતી હતી. હું વિચારતી હતી કે, એમાં શું. એ તો માતા-પિતાની જવાબદારી છે. મારી કારકિર્દી મહત્વની છે અને મેં મારું પુસ્તક લખ્યું ત્યાં સુધી મને એ વાતનો વિચાર પણ ન આવ્યો. તે લખતી વખતે વિચાર આવ્યો-હું 40ની થઈ ગઈ છું અને જો મને કારકીર્દિ છોડીને વિવિધ દેશોમાં ફરવાનું કહેવામાં આવે તો, હું મારી પુત્રી માટે કોઇ પણ પ્રશ્ન પૂછ્યા કર્યા વગર તે કરીશ.”

પ્રિયંકા તેની પુત્રી માલતીને ખૂબ પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયા પર વારંવાર તે જોવા મળે છે. પ્રિયંકા અત્યારે તેની નવી હોલીવૂડ ફિલ્મ ‘લવ અગેઇન’ને પ્રમોટ કરી રહી છે અને તાજેતરમાં તેણે એવી સ્પષ્ટતા કરી હતી કે કઈ રીતે તેનાં લગભગ દરેક સહ અભિનેતા સાથેનાં સંબંધોનો અંત આવ્યો અને રિલેશનશીપમાં તેનો ઉપયોગ પગલૂછણિયા તરીકે કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પહેલાં પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને ગયા વર્ષે જાહેરાત કરી હતી કે પ્રિયંકાએ સરોગસીની મદદથી પુત્રીને જન્મ આપ્યો છે. નિક સાથે ઉંમરમાં 10 વર્ષનો તફાવત હોવાથી ત્યારે તેની સોશિયલ મીડિયામાં ઘણી ટિકા થઈ હતી.

LEAVE A REPLY

seventeen − 6 =