નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(NRC)ના વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરુવારે ગાંધી શાંતિ યાત્રા શરૂ કરી હતી. 3000 કિમીની આ યાત્રા મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી શરૂ થઈ હતી. જેને NCP પ્રમુખ શરદ પવારે લીલી ઝંડી બતાવી હતી. યાત્રા રાજસ્થાન, યુપી, હરિયાણા થઈને 30 જાન્યુઆરીએ દિલ્હીના રાજઘાટ પર ખતમ થશે. આ દરમિયાન યશંવત સિન્હાએ કહ્યું કે, અમારી યાત્રા NRC અને CAAના વિરોધમાં છે. રાજ્ય સરકારે જે હિંસા કરી તેના વિરોધમાં છે. રસ્તામાં અમે લોકો સાથે વાત કરીશું. આંબેડકરજીના બંધારણની રક્ષા કરીશું. દેશના ફરી ભાગલા અને ગાંધીની ફરી હત્યા નહીં થવા દઈએ. ગાંધી શાંતિ યાત્રા દરમિયાન આ બન્ને નેતા CAA,NRC અને જજ લોયાની શંકાસ્પદ મોતનો મુદ્દા ઉઠાવશે. સાથે જ કેન્દ્ર સરકારને NRC લાગુ ન કરવાની માંગ કરીશું. બેઠકમાં આ યાત્રામાં NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પાર્ટીના ઘણા નેતા સામેલ થયા હતા.