કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ત્રાસવાદીઓ પાસેથી મળેલા શસ્ત્રો અને દારુગોળો (PTI Photo)

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ત્રાસવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકરોની ગોળી મારીને ગુરુવારે હત્યા કરી હતી. યુ કે પોરા વિસ્તારમાં આ નેતાઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમના પર ત્રાસવાદી હુમલો થયો હતો.

લશ્કર-એ-તૈયબાના જ એક સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ(TRF)એ ગુરુવારે કુલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી હુમલામાં ભાજપના નેતા ફિદા હુસૈન, ઉમર હજમ, ઉમર રાશિદની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. લશ્કર-એ-તૈયબાના જ સંગઠન TRFને છેલ્લા થોડાક વખત પહેલાં જ તૈયાર કરવામાં આવ્યું છે, જૂન પછી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપના આઠ કાર્યકરોની હત્યા થઈ છે.