મુંબઈમાં પાંચ ઓગસ્ટ 2015ના રોજ ઇન્ડિયન ઇન્ટરનેશનલ જ્વેલરી વીક 2015 દરમિયાન બોલિવૂડ અભિનેત્રી દીયા મિરઝાની તસવીર (Getty Images)

સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં બોલિવૂડની વધુ એક અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. NCB હવે દિયાની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ NCB સાથેની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દિયાની મેનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું.

જોકે દિયા સોશિયલ મીડિયામાં આ વાતને નિરાધાર ગણાવી હતી. દિયાએ જણાવ્યું હતું, ‘હું સમાચારનું દૃઢતા તથા સ્પષ્ટ રીતે ખંડન કરવા માગું છું કે કારણ કે આ આક્ષેપ પાયાવિહોણા તથા નિરાધાર છે. આ આક્ષેપ ખોટા ઈરાદાથી લગાવવામાં આવ્યા છે. આ પ્રકારનું રિપોર્ટિંગ મારી પ્રતિષ્ઠા પર સીધી અસર પાડે છે અને મારી કરિયરને નુકસાન થઈ શકે છે. મેં વર્ષોની મહેનતથી મારી કરિયર અને મારું નામ બનાવ્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના માદક પદાર્થ તથા કોન્ટ્રાબેડ પદાર્થોની ખરીદી કે સેવન કર્યું નથી. એક ભારતીય નાગરિક હોવાને કારણે હું કાયદાનો ઉપયોગ કરીશ. મારા સમર્થનમાં રહેલા ચાહકોનો આભાર. અહીં ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણના નામ સામે આવી ચૂક્યા છે.