ભારત સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 2021-22માં મંત્રાલયે દેશના હિતની વિરુદ્ધ કામ કરતી યુટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. મંત્રાલયે 94 યુટ્યુબ ચેનલ્સ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને 747 યુઆરએલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને બ્લોક કર્યા છે. આ કાર્યવાહી કલમ 69A ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 હેઠળ કરવામાં આવી છે. નકલી સમાચાર ફેલાવીને અને ઈન્ટરનેટ પર દુષ્પ્રચાર ફેલાવીને દેશના સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરતી એજન્સીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.