ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્‍ચન તાજેતરમાં ઉત્તરાખંડના ઋષિકેશની મુલાકાતે ગયા હતા અને પરમાર્થ નિકેતન આશ્રમ પાસેના ગંગા કિનારે પૂજા પણ કરી હતી. ત્યાં તેમની સાથે આશ્રમના સ્‍વામી ચિદાનંદ સરસ્‍વતી-મુનિજી પણ તેમની સાથે હતા. અમિતાભે લખ્‍યું છે કે, ‘ગંગા દિવ્‍યતા જગાડે છે.. આત્‍માને એવી રીતે સ્‍વીકારે છે જેવી રીતે કોઈ અન્‍ય નથી.. અને માનવજાત માટે અજાણી રીતે લાગણીઓ વ્‍યક્‍ત કરે છે.. આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ.. આપણે જાણીએ છીએ પણ આપણે નથી…’