(Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચના મુંબઈના જુહુમાં આવેલા પ્રતિક્ષા બંગલાની દિવાલ તોડી પાડવાની આખરે કાર્યવાહી થશે. રસ્તો પહોળો કરવા માટે આ દિવાલ તોડવાની 2017માં નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો. જોકે આ બંગલાની નજીકમાં આવેલા પ્લોટની દિવાલ તોડી પાડવામાં આવી હતી, તેનાથી વિવાદ પણ થયો હતો.

2017માં BMCએ બચ્ચન પરિવારને નોટિસ આપી હતી કે તેમના બંગલાની જમીનનો એક હિસ્સો સંત જ્ઞાનેશ્વર માર્ગ રસ્તાને પહોળો કરવા માટે નડતરૂપ છે. BMCએ કલેક્ટરને શહરેના સર્વેક્ષણ અધિકારીઓને રસ્તો પહોળો કરવાની યોજના હેઠળ બંગલાના જરૂરી હિસ્સાનું સીમાંકન કરવાનું પણ કહ્યું છે. સંત જ્ઞાનેશ્વર માર્ગ ચંદન સિનેમાને ઈસ્કોન મંદિર તરફ બનેલા લિંક રોડને જોડે છે. હવે આ રોડને પહોળો કરવા માટે બિગ બીના બંગલાની દીવાલને તોડી પડાશે.