BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 8 માર્ચના રોજ મહા શિવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

સંતો અને ભક્તોએ શિવલિંગને પંચામૃત વડે સ્નાન કરાવી બિલ્વપત્ર અર્પણ કર્યા હતા અને વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભક્તોએ આખો દિવસ મંદિરમાં ભગવાન શિવના દર્શન તથા અભિષેક કરી અન્નકુટ (ભોજનની ભક્તિ) દર્શનનો લાભ લીધો હતો.

શિવની અભિવ્યક્તિનું પ્રતીક તરીકે ભા રતના પવિત્ર યાત્રાધામ અમરનાથની યાદ અપાવતું બરફનું શિવલિંગ મંદિરની હવેલીના પ્રવેશદ્વાર પાસે પ્રસ્તુત કરાયું હતું.

LEAVE A REPLY

seventeen − 9 =