કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય મંત્રી 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશન થઇ ગયા છે અને એક દિવસ પહેલા તેમનો પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ હતો પરંતુ 5 દિવસ પછી જે ટેસ્ટ થાય એમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડે. એટલું જ નહીં 7થી 14 દિવસમાં પણ જો લક્ષણો જોવા મળે તો ફરી ટેસ્ટ થશે.

14 દિવસ સુધી નોર્મલ રહે પછી જ નક્કી થઈ શકે કે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી એકદમ સ્વસ્થ છે. આ સંજોગોમાં મુખ્યપ્રધાન સહિત નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય મંત્રીએ સેલ્ફ આઈસોલેશનમાં જ રહેવું પડશે. ખાસ કરીને પરિવાર અને અન્ય લોકોથી દુર રહેવું પડશે. એટલે એમ કહી શકાય કે મુખ્યપ્રધાન, સહિત ત્રણ મંત્રીઓના કોરોનાનો ટેસ્ટ 5થી 7 દિવસમાં થાય પછી જ ખબર પડે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના કોરોના પોઝિટિવના ચેપમાંથી મુક્ત છે કે નહીં.