ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીએ કોહલી સાથેના વિવાદ બાદ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, મને કોહલીનો મિજાજ ગમે છે, પણ તે બહુ લડાઈ કરે છે. નોંધપાત્ર છે કે, એક સમયે ગાંગુલીએ કેપ્ટન કોહલીને જોરદાર સમર્થન આપ્યું હતું. જોક ટી-૨૦ કેપ્ટન્સી છોડવાના મામલે કોહલી અને ગાંગુલી આમને-સામને આવી ગયા છે.

ગુરુગ્રામના એક કાર્યક્રમમાં ગાંગુલીએ સ્થાનિક મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતુ કે, મને કોહલીનો મિજાજ ગમે છે. જોકે તે બહુ લડાઈ કરે છે. ગાંગુલીએ આ સાથે તેની સાથેના કોહલીના ટકરાવનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. કોહલી મેદાન પરની તેની વર્તણૂંકને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ગાંગુલીએ તનાવ અંગેનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, જિંદગીમાં કોઈ તનાવ નથી, માત્ર પત્ની અને ગર્લફ્રેન્ડ જ સ્ટ્રેસ આપે છે.