કેલંગુટ, ગોવા ખાતે તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાયેલા ભવ્ય ગોવા આધ્યાત્મિક ઉત્સવમાં હજારો ભક્તો ભેગા થયા ત્યારે, કેલંગુટ બીચની સોનેરી રેતી શ્રદ્ધાના જીવંત કેન્દ્રમાં પરિવર્તિત થઈ હતી. પદ્મ શ્રી બ્રહ્મેશાનંદ આચાર્ય અને યુકે સ્થિત આધ્યાત્મિક નેતા રાજરાજેશ્વર ગુરુજીની હાજરીમાં આયોજિત “કુંભ-શૈલી”નો આ ઉત્સવ  ગોવાના સુખાકારી, પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકેના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યો હતું.

આ ઉત્સવમાં સામૂહિક યોગ સેશન્સ, આધ્યાત્મિકતા મેરેથોન અને આદરણીય સંતોના નેતૃત્વમાં પરંપરાગત પવિત્ર સ્નાન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમુદ્ર આરતી હતું, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યુકે દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે રાજરાજેશ્વર ગુરુજી દ્વારા આપવામાં આવેલ સન્માન સ્વીકાર્યું હતું. તો આ પ્રસંગે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી પ્રસંગે ભવ્ય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે ગોવામાં તેના પ્રકારનું સૌથી ઊંચું સ્મારક છે.

/* */

સાવંતે જણાવ્યું હતું કે  “આ સ્મારક સ્વરાજ્ય અને સુશાસનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે.” તેમણે ગોવાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

LEAVE A REPLY