(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ પર ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણા સમૃદ્ધ વારસાને જાળવવા અને વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા તરફનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. તેમણે સમગ્ર વિશ્વમાં ભારતની ભાવનાને મૂર્તિમંત કરવા, એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ડાયાસ્પોરાની પ્રશંસા કરી હતી.

પ્રવાસી ભારતીય દિવસ (PBD) ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાન ઉજવણી કરવા દર વર્ષે 9મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ પ્રસંગની ઉજવણી માટે 9 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસે 1915માં મહાન પ્રવાસી મહાત્મા ગાંધી,  દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા.

વડાપ્રધાન મોદીએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રવાસી ભારતીય દિવસ પર શુભેચ્છાઓ. આ વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે. આપણા સમૃદ્ધ વારસાને જાળવવા અને વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા તરફનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. તેઓ વિશ્વભરમાં ભારતની ભાવનાને મૂર્ત બનાવે છે તથા  એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.”

આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે “પ્રવાસી ભારતીય દિવસ પર, વિશ્વભરના ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ. અમને તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. ભારતના વૈશ્વિક દરજ્જો વધારવાની  તમારા ઉત્કૃષ્ટ યોગદાનની ભૂમિકા ભજવે છે.”

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ આ પ્રસંગે ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ વિશેષ દિન પર વિશ્વભરના વાઇબ્રન્ટ ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્યોના રાજદૂત તરીકે, તેઓએ વિશ્વભરમાં કાયમી અસર કરી છે. તેમની પ્રતિભા અને સખત પરિશ્રમનો કોઈ માત્ર તેઓ જે દેશોમાં રહે છે તેમને સમૃદ્ધ બનાવ્યા નથી, પરંતુ ભારતની વૈશ્વિક પ્રસિદ્ધિ પાછળ પ્રેરક બળ પણ છે.”

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ આ પ્રસંગે “વસુધૈવ કુટુંબકમ”ની ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં મજબૂત કરી રહેલા પ્રવાસી ભાઈ-બહેનોને પ્રવાસી ભારતીય દિવસની શુભકામનાઓ પાઠવી હતી. દેશથી દૂર રહેવા છતાં, ભારત તેમના હૃદય વસે છે. અમારી ઈચ્છા છે કે તેઓ ભારતના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહે.”

LEAVE A REPLY

16 − one =