બોલીવૂડની મ્યુઝિક કંપની દ્વારા ગુજરાતના શ્રોતાઓ માટે એક ગુજરાતી ભજનને નવી રીતે રજૂ કરવામાં આવ્યું છે, જેનું શીર્ષક છે ‘મેરુ તો ડગે’, જેમાં જાણીતા ગાયક જીગરદાન ગઢવીએ સ્વર આપ્યો છે. મેરુ તો ડગે ગીતની શૈલી કલાસિકલ છે પણ તેમાં થોડો આધુનિક ટચ પણ છે. આ ગીતના રિલીઝ અંગે ટીપ્સ મ્યુઝિકના કુમાર તૌરાનીએ જણાવ્યું હતું કે, ‘મેરુ તો ડગે એક તાજગીભર્યું ભજન છે. અને જીગરદાન ગઢવીનો અવાજ તેમાં વધુ પ્રેમ અને લાગણી ઉમેરે છે. મને ખાતરી છે કે લોકોને આ ગીત ગમશે.’
જીગરદાન ગઢવી કહે છે, ‘મેરુ તો ડગે મારા હૃદયની ખૂબ નજીક છે. સૌરાષ્ટ્રની ધરતીનું આ ભજન આત્મસાત થાય તો જીવવું ઘણું સરળ થાય એવું હું અંગત રીતે માનું છું. આ આદિકાળ ભજનને નવા સ્વરૂપમાં મુકવાની અમારી કોશિશ છે જેમાં આપણી માટીના સૂર અને સનાતન ધર્મની વાત છે.’
‘ગંગાસતીનું આ ભજન એની વહુ પાનબાઈ જે અધ્યાત્મના માર્ગે એમની શિષ્યા છે એને સંબોધતું છે. મેરુ નામનો પર્વત છે જેને કહેવાય છે કે એ આટ આટલા કાળ વીતી ગયા પણ હજીયે અડગ છે. એ ભલે ડગે પણ હે પાનબાઈ આ મારગે બ્રહ્માંડ પણ કેમ ના ભાંગી જાય, મનના ડગવું જોઈએ.’