ગુજરાત સરકારે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા એક સાથે 77 આઇએએસ ઓફિસરની બદલીના હુકમ શનિવારે કર્યા છે. આ અગાઉ સરકારે 9 જૂનના રોજ મોડી રાતે 26 IAS અધિકારીઓની બદલી કરી છે.
કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. આ બદલીઓમાં અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. અંજુ શર્માની શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે, જ્યારે GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે જ્યારે જામનગર કલેક્ટર રવિશંકરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (SOU)ના વડા બનાવાયા છે. રાજકોટ ક્લેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે.