આફ્રિકા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દક્ષિણ આફ્રિકાના હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ અગ્નિસંસ્કાર અને દફનવિધિ અંગેના નવા સૂચિત કાયદાનો વિરોધ કર્યો છે. આ બંને સમુદાયની દલીલ છે કે અગ્નિસંસ્કાર અને દફનવિધિ પહેલા પહેલાં ઇલેક્ટ્રોનિક મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાના સૂચિત નિયમથી અંતિમક્રિયામાં ઘણા દિવસોનો વિલંબ થઈ શકે છે.

પરંપરાગત રીતે બંને ધર્મોમાં મૃત્યુના દિવસે અથવા શક્ય તેટલી વહેલી તકે અગ્નિસંસ્કાર અને દફનવિધિ કરવામાં આવે છે. સૂચિત કાયદામાં વિવિધ સંગઠનો અને વ્યક્તિઓને અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરતા પહેલા ગૃહ વિભાગ પાસેથી ઇલેક્ટ્રોનિક મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની જરૂર પડશે.

વિવિધ સંગઠનોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ સપ્તાહના અંતે અને ક્યારેક જાહેર રજાઓ, જેમ કે ઇસ્ટર સપ્તાહના અંતે, ચાર દિવસ સુધી બંધ રહે છે ત્યારે આ નિયમ અવ્યવહારુ બની જશે. ગૃહ વિભાગને લખેલા પત્રમાં હિન્દુ કો-ઓર્ડિનેટિંગ કાઉન્સિલ HCC)ના ચેરમેન કિશોર બાદલે જણાવ્યું હતું કે હિન્દુ સમુદાય ચિંતિત છે કે આ આ દરખાસ્ત ધાર્મિક રિવાજો અને માન્યતાઓનું ઉલ્લંઘન કરશે.

/* */

હિન્દુ પરંપરામાં અગ્નિસંસ્કાર એક પવિત્ર વિધિ છે, જે મૃત્યુ પછી શક્ય તેટલી વહેલી તકે, સામાન્ય રીતે 24 કલાકમાં કરવી જોઈએ. ઈલેક્ટ્રોનિક મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ શોકગ્રસ્ત પરિવારોને અયોગ્ય તકલીફ આપી શકે છે અને સંભવતઃ ધાર્મિક જવાબદારીઓનું ઉલ્લંઘન કરી શકે છે.

બાદલે વધુમાં જણાવ્યું હતું કે HCC મર્યાદિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા ગ્રામીણ વિસ્તારો પર સંભવિત અસર અને ડિજિટલ ટેકનોલોજીની સુવિધા ન ધરાવતા લોકોના અધિકારોના સંભવિત ઉલ્લંઘન અંગે પણ ચિંતિત છે.
સુન્ની ઉલેમા કાઉન્સિલ (SUC) એક પત્રમાં જણાવ્યું હતું કે અમે ગૃહ વિભાગને દફનવિધિ પહેલાં ફરજિયાત ઇલેક્ટ્રોનિક મૃત્યુ પ્રમાણપત્રના પ્રસ્તાવને પાછો ખેંચવા વિનંતી કરીએ છીએ.

હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના વિરોધ પછી વિભાગે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા પ્રસ્તાવનો હેતુ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરમાં છેતરપિંડી અટકાવવાનો છે. તેનાથી કોઈપણ સમુદાયની હાલની સાંસ્કૃતિક અને ધાર્મિક દફન પ્રથાઓને કોઇ અસર થશે નહીં. વર્તમાન કાયદામાં દફનવિધિ પહેલાં મૃત્યુની ઔપચારિક નોંધણા જરૂર છે, પરંતુ આનું હંમેશા પાલન થતું નથી.

LEAVE A REPLY