બાંગ્લાદેશ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મધ્ય બાંગ્લાદેશના સબડિસ્ટ્રિક્ટ ઝેનૈદાહના કાલીગંજમાં એક 40 વર્ષીય હિન્દુ મહિલા પર બે મુસ્લિમ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગૂર્જાયો હતો. આરોપીઓએ પીડિતાને ઝાડ સાથે બાંધી હતી અને તેના પણ વાળ કાપી નાખ્યાં હતાં.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને અઢી વર્ષ પહેલાં કાલીગંજ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં શાહીન અને તેના ભાઈ પાસેથી બે મિલિયન રૂપિયામાં બે માળનું ઘર અને ત્રણ ડેસિમલ જમીન ખરીદી હતી. ત્યારબાદ, શાહીન અભદ્ર માગણી કરતો હતો. તેને ના પાડી ત્યારે તેને હેરાન કરવા લાગ્યો હતો.

શનિવારે સાંજે વિધવાના ગામના બે સંબંધીઓ મળવા આવ્યાં હતાં, ત્યારે શાહીન અને તેનો સાથી હસન ઘૂસી ગયાં હતાં અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેઓએ ૫૦,૦૦૦ રૂપિયા (લગભગ ૩૭,૦૦૦ રૂપિયા) પણ માંગ્યા હતાં. પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેઓએ કથિત રીતે સંબંધીઓ પર હુમલો કર્યો અને તેમને ભગાડી દીધાં હતાં, મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યા પછી તેઓએ તેને ઝાડ સાથે બાંધી દીધી, તેના વાળ કાપી નાખ્યાં હતાં.

આરોપીએએ આ કૃત્યનું રેકોર્ડિંગ કર્યું હતું અને વીડિયો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. તેઓએ વિધવા પર પણ અત્યાચાર ગુજાર્યો હતો અને પછી તે બેભાન થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ તેને બચાવીને ઝેનૈદાહ સદર હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આના એક દિવસ પહેલા બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક ટોળા દ્વારા હુમલો કરીને સળગાવી દેવામાં આવેલા હિન્દુ બિઝનેસમેન ખોખન ચંદ્ર દાસનું મૃત્યુ થયું હતું. 24 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના કાલીમોહર યુનિયનમાં એક અન્ય હિન્દુ યુવાન અમૃત મંડલની કથિત રીતે ટોળાએ હત્યા કરી હતી. ૧૮ ડિસેમ્બરે ૨૫ વર્ષીય દીપુ ચંદ્ર દાસ પર પણ ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને ટોળાએ માર માર્યો હતો. તેમના મૃતદેહને પણ ઝાડ પર લટકાવીને આગ લગાવી દેવામાં આવી હતી.

LEAVE A REPLY